ગોંડલની ધોળકીયા સ્કુલની હોસ્ટેલ માં દશમાં ધોરણ માં અભ્યાસ કરતા તરુણ પર રેગિંગ ની ઘટના બની:જ્ઞાતિ પ્રત્યે હડતુત કરી પટ્ટા થી બેરહમ માર માર્યો:હોસ્ટેલમાં રહેતા ચાર વિદ્યાર્થીઓ નું પરાક્રમ.

ગોંડલ ની ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલ માં હોસ્ટેલ માં રહેતા તરુણ ને તેના બે રુમ પાર્ટનર સહીત ચાર વિદ્યાર્થીઓ એ ઢીકાપાટુ સાથે પટ્ટાથી બેરહમ માર મારતા તરુણ ને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.અને બનાવ અંગે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરાઇ હતી.બીજી બાજુ તરુણ પર રેગિંગ કરનારાં બે મુખ્ય સુત્રધાર સમાં વિદ્યાર્થી ને તત્કાલ સસ્પેન્ડ કરી દેવાયાનો દાવો સ્કુલનાં કેમ્પસ ડીરેકટર દ્વારા કરાયો હતો.માશુમ બાળક પર કરાયેલા અત્યાચાર ને લઈ ને મેઘવાળ સમાજ રોષે ભરાયો હતો.અને આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.
ધોળકીયા સ્કુલ માં રેગિંગ ની ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાનાં વેજાગામ રહેતા અને ઉમવાડા રોડ પર આવેલી ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલ માં હોસ્ટેલ માં રહી ધોરણ દશ માં અભ્યાસ કરતા પાર્થ પ્રફુલભાઈ મહીડા ઉ.૧૫ ને ગત રાત્રે તેની સાથે રુમમાં રહેતા બે અને અન્ય મળી ચાર વિદ્યાર્થીઓ એ પટ્ટા વડે બેરહમ માર મારતા પાર્થ ને શરીર માં ઠેરઠેર ચાંભા પડી ગયા હતા.
સિવિલ હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા પાર્થે જણાવ્યું કે મારાં રુમ પાર્ટનર વૈદ જાવીયા,પ્રણવ માધવાણી તથા હાર્વીક સોલંકી અને અંશ નામનાં વિદ્યાર્થીઓ એ ગત રાત્રે ૩૦૫ નંબર નાં રુમમાં બોલાવી જ્ઞાતિ પ્રત્યે હડતુત કરી પહેલા ઢીકાપાટુ નો માર માર્યો હતો.બાદ માં પટ્ટા વડે બેફામ માર માર્યો હતો.સવારે કલાસ ટીચર હશદિવ્યેશસર ને વોશરુમ માં લઈ જઈ મારને કારણે શરીર પર પડેલા ચાંભા બતાવતા તેમણે કેમ્પસ ડીરેકટર ગોકાણી સરને જાણ કરતા તેમણે રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ ને બોલાવી ઠપકો આપ્યો હતો.બાદ માં શ્રુતિ મેડમે મારી પાસે માફી પત્ર લખાવ્યું હતુ.ત્યારબાદ સ્કુલ સંચાલકો દ્વારા પાર્થ ની ખાનગી તબીબ પાસે સારવાર કરાવી પાર્થ નાં પરીવાર ને જાણ કરાતા પાર્થ નાં દાદા દાનાભાઇ ધોળકીયા સ્કુલ દોડી ગયા હતા.અને પાર્થ ને લઈ સિવિલ હોસ્પિટલ સારવાર માટે પહોચ્યા હતા.
બનાવ અંગે ધોળકીયા સ્કુલ નાં કેમ્પસ ડીરેકટર જી. એમ.ગોકાણીએ જણાવ્યુ કે આ વિદ્યાર્થીઓ વચ્ચે ની તકરાર છે.બનાવ ની જાણ થતા વૈદ જાવૈયા તથા પ્રણવ માધવાણીને સ્કુલ માંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.અને અન્યને પનીશમેન્ટ અપાઇ છે.બનાવ અંગે બી ડીવીઝન પીએસઆઇ ઝાલાએ પાર્થ નું નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી.બનાવ ને લઈ ને હોસ્પિટલ દોડી આવેલાં મેઘવાળ સમાજ નાં આગેવાન દિનેશભાઈ માધડે ધોળકીયા સ્કુલ નાં સંચાલકો સામે રોષ ઠાલવ્યો હતો.

error: Content is protected !!