હળવદમાં જન્માષ્ટમી ની શોભાયાત્રા કોરોના ના પગલે મોકૂક રખાઈ રાધાકૃષ્ણ ના મંદિર મા પૂજન અને મહા આરતી નું આયોજન કરાશે.


સૌરાષ્ટ્ર ના ત્રીજા ક્રમે આવતી હળવદની શોભાયાત્રા દર વર્ષે હજારોની સંખ્યામાં  લોકો ઓ  મોરબી દરવાજાથી રાજોધરજી હાઈસ્કૂલ સુધી હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કીના નારા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ શોભાયાત્રા હળવદમાં છેલ્લાં ૩૨ વર્ષથી આયોજન થતું હતું પરંતુ 
આ વર્ષે કોરોનાની મહામારી ના પગલે સરકારની ગાઇડલાઈન મુજબ શોભાનુ આયોજન  મોકૂક રખાયું છે પરંતુ આવતી કાલે બુધવારે જન્માષ્ટમી નિમિત્તે મોરબી દરવાજા ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરે  શ્રી કૃષ્ણભગવાનની પૂજા-અર્ચના અને મહાઆરતીનું આયોજન કરાશે જેમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા પૂર્વ પંચાયતમંત્રી  જયંતીભાઈ કવાડિયા .જન્માષ્ટમી 
સમિતિના અધ્યક્ષ ડો. મિલન માલમપરા નગરપાલિકા પ્રમુખ હિનાબેન રાવલ. તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા. માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ પ્રમુખ જશુભાઈ પટેલ . ગુજરાત પ્રદેશ બજરંગદળ ના સંયોજક ભાવેશ ભાઈ ઠક્કર .જિલ્લા સંયોજક પરેશભાઈ રાવલ.સહિતના ઉપસ્થિત રહેશે  આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના લલિત ભાઈ ઠક્કર ઈશ્વરભાઈ .દલવાડી  શહેર યુવા ભાજપ પ્રમુખ ‌તપનભાઈ દવે   વિજયભાઈ ભરવાડ. રશ્મિભાઈ દેથરીયા  . અલ્પેશભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

હળવદ.રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!