બંધારણના ઘડવૈયા ડો.બાબા આંબેડકરની ૬૭મી નિર્વાણ તિથિ નિમિતે મેઘવાળ સમાજના પ્રમુખ ગિરધરભાઇ સોલંકીના નેજા હેઠળ ખટારા સ્ટેન્ડ ખાતે આવેલ પ્રતિમાને હારતોરા કરી કેન્ડલ પ્રગટાવી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે ડો.આંબેડકર ઉત્સવ સમિતિ તેમજ મેઘવાળ સમાજ યુવા સંગઠનના આગેવાનો તેમજ ગોંડલ શહેર તેમજ તાલુકા મેઘવાળ સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી પાઠવી હતી.