Jasdan-ભાડલા વિસ્તારના રાણીંગપર ગામની વાડીમાં કપાસ તુવેર ના વાવેતર વચ્ચે ખેડૂતે ગાંજો વાવ્યો:રાજકોટ રૂરલ એસઓજી નો દરેડો ૧૧.૬૫ લાખનો જથ્થો જપ્ત.

જસદણના રાણીંગપર ગામની સીમમાં કાર્યવાહી
 ગાંજાના ૪૫ છોડ મળ્યા, જેનો વજન ૧૧૬ કિલો થયો: આરોપી બાબુ સોમાણીનો મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરાઈ: ભાડલા પોલીસ સ્ટેશને ગુનો દાખલ

જસદણ-વિંછીયા પંથકમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર થતું હોવાનું સમયાંતરે પ્રકાશમાં આવતું હોય છે, જેથી પોલીસની પણ આ વિસ્તારમાં ચાંપતી નજર રહેતી હોય છે. ત્યારે જસદણના રાણીંગપર ગામની સીમમાં રાજકોટ રૂરલ એસઓજીએ દરોડો પાડી વાડીમાં કપાસ – તુવેરના વાવેતર વચ્ચે ખેડૂતે વાવેલો ગાંજો ઝડપી લીધો હતો. ગાંજાના ૪૫ છોડ મળ્યા હતા. જેનો વજન ૧૧૬ કિલો થયો હતો. આરોપી બાબુ તળશી સોમાણી(ઉ.વ.૫૪)નો મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભાડલા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો છે. રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા નાર્કોટીકસ માદક પદાર્થનું ઉત્પાદન કરતા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી, જેથી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા તથા નાર્કોટીકસના વ્યસનથી યુવાધનને અટકાવવા માટે સુચના – માર્ગદર્શન આપતા, રૂરલ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા તેમની ટીમ સાથે જસદણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન કોન્સ્ટેબલ કાળુભાઇ ઘાધલ તથા અમિતદાન સુરૂને સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, બાબુભાઇ તળશીભાઇ સોમાણી (રહે. રાણીંગપર)એ પોતાની માલિકીની રાણીંગપર ગામની સીમમાં આવેલ વાડીમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદકપદાર્થ ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. હકિકત આધારે સર્કલ પીઆઈ એચ.એન.રાઠોડ સાથે એસઓજી ટીમે દરોડો પાડતા આરોપીની વાડીમાંથી ગાંજાના ૪૫ છોડ મળી આવેલ. જેનું વજન કરતા ૧૧૬ કિલો ૪૦૦ ગ્રામ થયું હતું. આરોપીની ધરપકડ કરી ભાડલા પોલીસ મથક ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

આરોપીએ કોઈને ગાંજો વેચેલો કે કેમ? તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. આ કામગીરી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા, એ.એસ.આઇ અતુલભાઇ ડાભી, હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, હિતેશભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, ભગીરથસિંહ જાડેજા, વિજયભાઇ વેગડ, અરવિંદભાઈ દાફડા, કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, કાળુભાઇ ધાધલ, અમિતદાન ગઢવી, ડ્રા.એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

શ્રાવણ માસમાં કનેસરા મંદિરે ગયા ત્યાંથી ગાંજાના છોડ લાવ્યાનું રટણ
પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધેલો. આરોપી બાબુ સોમાણીએ પૂછપરછમાં જણાવ્યું કે, તે શ્રાવણ માસમાં કનેસરાના એક મંદિરે ગયો હતો. ત્યાંથી ગાંજાના છોડ લાવ્યા હતા અને પોતાની વાડીમાં વાવ્યા હતા. પોતે પ્રથમ વખત જ ગાંજો વાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. પરંતુ આરોપીના કથનમાં કેટલું તથ્ય છે? તે જાણવા આરોપીની કોલ ડિટેઇલ્સ તપાસમાં આવી રહી છે.

error: Content is protected !!