Gondal-ગોંડલ નાં કમઢીયામાં કુવામાંથી મહીલાની લાશ મળી:હત્યાની શંકાએ પતિને સકંજામાં લેતી પોલીસ:લાશ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલાઇ.

ગોંડલ તાલુકા નાં કમઢીયા ગામે વાડીનાં કુવામાં થી મહીલાની લાશ મળી આવતા માથા અને મોઢા પર ઇજાનાં નિશાન હોય હત્યાની શંકાએ પોલીસે મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી શંકાના દાયરા માં રહેલા મૃતક મહીલા ના પતિની પુછપરછ સાથે તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કમઢીયા માં ખેડુત કાનજીભાઈ દુદાભાઇ હીરપરા ની વાડીએ પરીવાર સાથે ખેતમજુરી કરતા મુળ મધ્યપ્રદેશ ના ગુડ્ડુ ભુગવાડી નામના યુવાને પોતાની પત્નિ મીનકાબાઇ અકસ્માતે કુવામાં પડી ગયાની જાણ સુલતાનપુર પોલીસ ને કરતા પીએસઆઇ ડી.પી.ઝાલા સ્ટાફ સાથે વાડીએ દોડી જઇ મીનકાબાઇ નાં મૃતદેહ ને કુવામાં થી બહાર કઢાવી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.

મીનકાબાઇ ના માથા મોઢા પર ઇજા ના નિશાન હોય બનાવ ને શંકાસ્પદ ગણી પોલીસે મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો.
બનાવ અંગે મળેલી વિગતો મુજબ પાણી ભરવાનાં મુદ્દે ગુડ્ડુ ને પત્નિ મીનકાબાઇ સાથે માથાકુટ થતા ઉશ્કેરાયેલા ગુડ્ડુ એ પત્નિ ને કોઈ બોથડ પદાર્થ ફટકારી હત્યા કર્યા બાદ મૃતદેહ કુવામાં નાખી દઈ તેણી અકસ્માતે કુવામાં પડી ગયાની સ્ટોરી ઉભી કર્યા ની શંકા પોલીસ ને જણાતા ગુડ્ડુ ને સકંજા માં લઈ પુછપરછ હાથ ધરીછે.વધુ માં મૃતક ની નાની પુત્રીએ પણ પોલીસ ને ત્રુટક ભાષામાં તેના પિતાએ જ માતાને મારી નાખ્યાનું જણાવ્યું હોય પતિ જ હત્યારો હોવાની પોલીસ ને દ્રઢ શંકાછે.અલબત પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.મૃતક મીનકાબાઇ ને સંતાન મા ચાર દિકરીઓ છે.બે વર્ષ થી પરીવાર સાથે કમઢીયા રહેતી હતી.

error: Content is protected !!