ખડવંથલી ના મેઘવાળ સમાજ ના આંદોલન માં એકબાજુ ઉપવાસીઓ એ પારણા કર્યા તો બીજી બાજુ એક યુવાને શરીર પર કેરોસીન છાટ્યુ અને ત્રણ યુવાનો એ ફીનાઇલ પીધુ:ઉપવાસી છાવણી મા સર્જાયો અફડાતફડીનો માહોલ:પરિસ્થિતિ કાબુ મા લેવા તંત્ર ને પરસેવો છુટી ગયો.

ગોંડલ તાલુકા ના ખડવંથલી ગામ ના મેઘવાળ સમાજ દ્વારા સ્મશાન ના મુદ્દે ગોંડલ ડો.આંબેડકર ની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસ થી ચાલી રહેલા ઉપવાસ આંદોલન મા આજે અફડાતફડી મચી જવા પામી હતી.ખડવંથલી ના સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસીઓ ની માંગણી સ્વિકારી લેવાઇ હોય આગેવાન ની હાજરી માં પારણાં કરાવાઇ રહ્યા હતા.

એજ સમયે કેરોસીન ની બોટલ લઈ છાવણી મા ઘસી આવેલા યુવાને શરીર પર કેરોસીન છાંટતા હોહા મચી જવા પામી હતી પોલીસે તુરંત યુવાન ને પકડી લઈ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો.

હજુતો આ ઘટના પુરી નથી થઈ ત્યાં ત્રણ યુવાનોએ ફીનાઇલ ગટગટાવતા અફડાતફડી મચી જવા પામી હતી.પોલીસે તુરંત આ યુવાનો ને પણ હોસ્પિટલ ખસેડ્યા હતા.અચાનક બનેલી ઘટના ને લઈ ને પારણા કરાવી રહેલા મેઘવાળ સમાજ ના આગેવાનો પણ અચંબીત બન્યા હતા.લોકો એકઠા થઈ જતા અને દેકારો બોલી જતા પોલીસે મહામુસીબતે પરિસ્થિતિ પર કાબુ લઈ ઉપવાસી છાવણી હટાવી દીધી હતી.

દરમિયાન હોસ્પિટલે પણ મેઘવાળ સમાજ ના યુવાનો એકઠા થતા વાતાવરણ તંગ બન્યુ હતુ.વણસેલી પરિસ્થિતિ ને લઈ હોસ્પિટલ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગ્રામ પંચાયત દ્વારા મેઘવાળ સમાજ ના સ્મશાન ને તોડી પાડી ત્યાથી રસ્તો કઢાયો હોય જેના વિરોધ મા છેલ્લા વીસ દિવસ થી ખડવંથલી ના મેઘવાળ સમાજ દ્વારા ગોંડલ ડો.આંબેડકર ની પ્રતિમા નીચે ઉપવાસ આંદોલન ચાલી રહયુ હતુ.


આંદોલન ને વીસ દિવસ થવા છતા જાડી ચામડી ધરાવતા સરકારી તંત્ર દ્વારા નોંધ સુધ્ધા લેવાઇ ના હોય આખરે આત્મવિલોપન ની ચીમકી અપાતા તંત્ર હરકત મા આવ્યુ હોય તેમ પીઆઇ.ડામોર, પીએસઆઇ કોઠીયા,તાલુકા પીએસઆઇ ઝાલા સહિત પોલીસ કાફલો ઉપવાસી છાવણી ખાતે ખડકાયો હતો.એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર બ્રિગેડ ને પણ તહેનાત કરાયુ હતુ.


દરમિયાન બપોર ના બાર કલાકે પ્રાંત અધીકારી દેવાહુતી મેડમ,મામલતદાર ચાવડા,નાયબ મામલતદાર મનિષ જોષી,તાલુકા વિકાસ અધિકારી ગઢવી તથા ખડવંથલી ના સરપંચ ભાવેશભાઈ કથીરીયા સહિત છાવણી પર દોડી આવી આંદોલન કર્તાઓ ની માંગણી સ્વીકારી સ્મશાન માટે જમીન ફાળવવા ની ખાત્રી આપતા મેઘવાળ સમાજ ના આગેવાનો ગીરધરભાઇ સોલંકી,બાબુભાઇ મકવાણા,સવજીભાઈ સાગઠીયા,હરીભાઇ રાઠોડ, પોલાભાઇ ખીમસુરીયા, હરીભાઇ મયાત્રા,ભીખાભાઇ બગડા,વિપુલભાઈ પરમાર સહિત સમાજ ના લોકો સહમત થયા હતા.અને ઉપવાસીઓ હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમાર ને પારણાં કરાવ્યા હતા. પરંતુ આ સમયે રામોદ ના મનસુખભાઈ રાઠોડ કેરોસીન ની બોટલ સાથે ઘસી આવી શરીર પર કેરોસીન છાટ્યુ હતુ.પરંતુ એલર્ટ રહેલા પીઆઇ.ડામોર સહિત ના પોલીસ સ્ટાફે મનસુખભાઈ ને પકડી લઈ ફાયર બ્રિગેડ નો ફુવારો મારી હોસ્પિટલ ખસેડ્યા હતા.ત્યાંજ છાવણી માં અચાનક ભીખાભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ પરમાર અને ભરતભાઇ પરમારે ફીનાઇલ ગટગટાવી લેતા હલ્લાબોલ મચી જવા પામી હતી.પોલીસે તુરંત ત્રણેય યુવાનો ને હોસ્પિટલ ખસેડી અફડાતફડી ના માહોલ ને કાબુ મા લઈ આગેવાનો ને સાથે રાખી છાવણી હટાવી લોકોનાં ટોળાને વિખેર્યુ હતુ.

બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે મેઘવાળ સમાજ ના યુવાનો એકઠા થતા ડીવાયએસપી ઝાલા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આત્મવિલોપન નો પ્રયાસ કરનાર હોસ્પિટલ મા રહેલા મનસુખભાઈ રાઠોડે જણાવ્યુ કે સરકારી તંત્ર દ્વારા કોઈ લેખીત બાહેંધરી અપાઇ ના હોય અમારે આત્મવિલોપન કરવા મજબુર બનવુ પડ્યુ છે.

બીજી બાજુ ગોંડલ મેઘવાળ સેવા સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ગીરધરભાઇ સોલંકી એ જણાવ્યુ કે સરપંચ તથા પ્રાંત અધિકારી સહિત તંત્ર દ્વારા લેખીત બાહેંધરી અપાઇ છે તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આઠ દિવસ મા સ્મશાન ની જમીન ના પેપર તૈયાર કરી આપવા ખાત્રી અપાઇ હોય આંદોલન પુર્ણ થયુ છે.જે યુવાનોએ આત્મવિલોપન નો પ્રયાસ કર્યો છે તેમને આ જાણ ના હોય પગલુ ભરાયુ છે.હોસ્પીટલ મા દાખલ થયેલા ચારેય યુવાનો ની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતુ.
આમ અફડાતફડી ભરી ઘટનાઓ વચ્ચે છેલ્લા વીસ દિવસ થી ચાલતુ આંદોલન સમાટાયુ હતુ.

error: Content is protected !!