ગોંડલ શહેરમાં દબાણ હટાવવા મા તંત્ર ની વ્હાલા દવલા ની નીતી નો વેપારી અગ્રણી નો આક્ષેપ:ચિફ ઓફિસર સાથે ચકમક ઝરતા પોલીસ ઉઠાવી ગઈ:લોકો ના ટોળા ઉમટ્યા.

ગોંડલ નગર પાલીકા દ્વારા હાથ ધરાયેલા ડીમોલીશન દરમિયાન કડીયાલાઇન વિક્ટરી સિનેમા પાસે ખજૂર ગોળ ની દુકાન ચલાવતા વેપારી મહામંડળ ના ઉપપ્રમુખ જયકરભાઇ જીવરાજાની ની દુકાન નુ છાપરુ હટાવાતા જયકરભાઇ તથા ચિફ ઓફિસર વ્યાસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા લોકો ના ટોળા ઉમટ્યા હતા અને વાતાવરણ તંગ થતા બંદોબસ્ત મા રહેલી પોલીસે જયકરભાઇ તથા તેના ભત્રીજા ને પોલીસ વાન મા બેસાડી પોલીસ મથકે લઇ ગયા હતા.થોડી કલાકો બાદ તેમનો છુટકારો કરાયો હતો

જયકરભાઇ એ દબાણ હટાવવા અંગે પાલીકા તંત્ર દ્વારા વ્હાલા દવલા ની નીતી રખાયા નો આક્ષેપ કરી જણાવ્યુ કે તંત્ર દ્વારા છાપરા ની કે પાટીયા ની તોડફોડ કરી વેપારીઓ ને હેરાન કરાઇ રહ્યા છે.છાપરા કે પાટીયા માટે વેપારીઓ પાસે થી નગર પાલીકા જરુરી ફી વસુલ કરતી હોવા છતા નડતર રુપ ના હોય ત્યા તોડફોડ કરી છે.તેમણે કહ્યુ કે શહેર ના સેન્ટ્રલ સીનેમા, બ્રાહ્મણ બોર્ડીંગ,ઉદ્યોગ ભારતી મા વરસો થી ફુટપાથ પર પાક્કુ ચણતર કરી દબાણ કરાયુ છે.બસસ્ટેન્ડ અને ગુંદાળા રોડ પર ગેરકાયદેસર દુકાનો ખડકાઈ ગઈ છે.

ત્યા સુધી કે બુગદા પર ચણતર કરી દુકાનો બનાવાઇ છે આ બધા બાંધકામો ગેરકાયદેસર ઉભા છે ત્યારે તંત્ર ને આ દબાણો નજરે પડતા નથી.મોટા માથા કે રાજકીય ઓથ ધરાવતા તત્વો એ શહેર ભર મા ગેરકાયદેસર બાંધકામ ઉભા કર્યા છે નાના વેપારીઓ ને વારંવાર નિશાન બનાવતા નગરપાલીકા તંત્ર દ્વારા આવા જગ જાહેર દબાણો દુર કરવા હિંમત દાખવવી જોઈએ.જયકરભાઇ એ ડીમોલેશન વેળા પોતાની દુકાન માથી કિંમતી માલસામાન ની લુટાલુંટ થયા નો આક્ષેપ કરી આ અંગે ચિફ ઓફિસર સહિત જવાબદારો સામે કાનુની કાર્યવાહી કરાશે તેવુ જણાવ્યુ હતુ.

error: Content is protected !!