Gondal-Rajkot ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે યોજાયો મોટિવેશનલ સેમિનાર.
ગોંડલની ગંગોત્રી સ્કૂલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી યોગ્ય માર્ગદર્શન અને મોટિવેશન પણ સતત આપતું રહે છે. ગંગોત્રી સ્કૂલ દ્વારા આ વર્ષે પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે તા.26/02/2022 ના રોજ ધો. 10 ના વિદ્યાર્થીઓ માટે “એક ડગલું સફળતા તરફ” અને તા.27/02/2022 ના રોજ ધો.12 કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે “વિજયી ભવઃ ” વિષય પર સેમિનાર યોજાયો હતો. બોર્ડના વિદ્યાર્થીઓને હવે પરીક્ષાના થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ દિવસોમાં પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તેની ચર્ચા મોટિવેશનલ સ્પીકર ઉમેશભાઈ વાળા અને પ્રતિકભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરી ખુબ સારી રીતે પરીક્ષા આપવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.