Dhoraji-Rajkot ધોરાજી ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત દ્વારા આક્રોશ રેલી યોજાઇ : ધારાસભ્ય લલિત ભાઈ વસોયા સહિત ના ખેડૂત આગેવાનો જોડાયા.
ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયા ની આગેવાની માં રેલી યોજવામાં આવી હતી. અતિ વૃષ્ટિ થી થયેલ નુકસાની માં ધોરાજી તાલુકા નો સમાવેશ કરવાની માંગ અને વીજ ધાંધિયા સામે ખેડૂતો એ યોજી આક્રોશ રેલી યોજી હતી.
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2021/10/IMG-20211025-WA0044-1024x768.jpg)
ધોરાજી ના સ્ટેશન રોડ પર થી રેલી યોજી અને ખેડૂતો એ ધોરાજી ના ડેપ્યુટી કલેકટર ને યુ આવેદન પત્ર આપવા માં આવ્યુ હતુ. આ તકે કોંગ્રેસ ધારાસભ્ય લલિત ભાઈ વસોયા એ પત્રકાર સાથે ની વાત ચીત માં જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ ના લીધે ધોરાજી તાલુકા ના ખેડૂતો ને પારાવાર નુકસાન થયેલ છે. હાલ ધોરાજી તાલુકા ના ત્રીસ ગામ માથી ચાર ગામ નો સર્વે કરવામાં આવેલ છે જેથી ખેડૂતો ની માગણી છે કે રી સર્વે કરવામાં આવે હાલ વળી પીજીવીસીએલ દ્વારા વિજ ધાંધીયા કરવામાં આવે છતાં પાણી એ વીજ ધાંધીયા ના લીધે ખેડૂતો ના પાક ને નુકશાન થાય છે ધારાસભ્ય લલિતભાઈ વસોયા ખેડુત આગેવાન દીનેશભાઈ વોરા એ પણ પોતાનો આક્રોશ થાલોવયો હતો
રીપોર્ટર:- સકલૈન ગરાણા. ધોરાજી