Jasdan-Rajkot ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિતે જસદણ લઘુમતી મોરચાયે હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કર્યુ.
રાજકોટ જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ.
આજરોજ ગુજરાતના યશસ્વી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વીજયભાઈ રૂપાણી સાહેબના જન્મ દિવસ નિમિત્તે રાજકોટ જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગની અધ્યક્ષતામાં જસદણ સરકારી હોસ્પિટલ ખાતે લઘુમતી મોર્ચા દ્વારા દર્દીઓ ને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ હતું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના 65 માં જન્મ દિવસ નિમિત્તે ઠેર-ઠેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમો યોજાઈ રહીંયાં છે
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2021/08/IMG_20210802_153519-1024x926.jpg)
જેના ભાગ રૂપે આજરોજ જસદણ ખાતે પણ લઘુમતી મોર્ચા દ્વારા કાર્યક્રમ યોજાયેલ હતો
આ કાર્યક્રમમાં પ્રદેશ લઘુમતી મોરચાના ઇલયાસભાઈ લોહીયા, ભાજપના અગ્રણી ઇમરાનભાઇ ખીમણી,સીરાજભાઈ ડાયાતર,શહેર લઘુમતી મોર્ચા પ્રમુખ ઇલયાસભાઈ થાનાંણી, તાલુકા લઘુમતી પ્રમુખ ઇમરાનભાઇ રાવાની,મહામંત્રી સોયબ ધાનાણી,યુસુફભાઈ મીઠાણી,યાસીનભાઈ સરવૈયા,અમીનભાઈ પાન વારા,સહિત લઘુમતી મોર્ચાના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહયા હતા
અહેવાલ:- પિયુષ વાજા જસદણ