Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં શફુરા નદી માંથી એક લાશ તરેલી જોવાં મળી આવતા પોલીસ ઘટના સ્થળે.
ધોરાજી નાં પંચનાથ મહાદેવ નાં મંદિર નજીક અને શફુરા નદી ના કાંઠે એક લાશ તરેલી જોવાં મળી પોલીસ ઘટના સ્થળે દોડી આવી
માનવ સેવાના કાર્યકર્તાઓ મહામહેનતે લાશ બહાર કાઢી
ધોરાજી નજીક આવેલ સફૂરા નદી ના ચેક ડેમમાં એક અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાથી જાણ થતાં માનવ સેવાના ધર્મેન્દ્રભાઈ બાબરીયા અને ભોલાભાઈ સોલંકી એ ડેમમાં થી માહામેનતે લાશ બહાર કાઢી ને પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને મૃતકના ખિસ્સા ચેક કરતા તેમાંથી મોબાઇલ મરી આવેલ અને તેમાંથી ફોન કરતાં મરણ જનાર લક્ષ્મણભાઈ વાલાભાઈ મકવાણા ઉવ.૫૦ હોવાનું જાણવા મળેલ અને તેઓ જામકંડોરણા ના જસાપરા ગામે ચેતનભાઈ પોકીવાની વાડીએ મજુરી કામ કરતા હતા અને જસાપરા મરણ જનાર ધોરાજી આવેલ આને તેની ડેડબોડી સફુરા નદી મા લાશ કાઢી ધોરાજી સરકારી હોસ્પિટલ મા Pm માટે લાવતા ફરજપર ના ડોક્ટર રાજ બેરા એ ચેક કરતા લાશ કોહવાય ગએલ હોવાથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયા હતા અને મરણ જનાર લકસમણભાઈ મકવાણા મુળ જુના રાજપરા તા તળાજા જી.ભાવનગર વારાના ૩ પુત્રી ઓ હોવાનું જાણવા મળેલ છે
આ બનાવ અંગે ની તપાસ ભીમજીભાઈ ગંભીર તપાસ ચલાવી રહેલ છે
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2020/10/IMG_20201016_181842-1001x1024.jpg)