Halvad-Morbi હળવદ મા સાવકી માતાએ નમૅદા કેનાલમાં ફેંકેલ બાળકની લાશ કોહવાયેલી હાલતમાં મળી આવતા પી એમ માટે રાજકોટ ખસેડાઈ.

હળવદ મોરબી-માળીયા ચોકડી પાસે આવેલ વિશાલ પેકેજીંગ માં રહેતા પ્રજાપતિ જયેશભાઈ જેન્તીભાઈ તેની પત્ની ભાવિષાબેન ૧૦ વષેના ધુવ ઉર્ફે કાનો સાવકી ને માતા ઉર્ફે કાનો ગમતો ન હોવાથી નવડાવવા બહાને નર્મદા કેનાલમાં લ,ઈ ગયેલ અને કેનાલમાં ધક્કો મારીને ફેંકી દેતા પોલીસે એ સતત ત્રણ દિવસ શોધખોળ હાથ ધરી હતી ત્યારે હળવદ પોલીસના પી આઈ પી એ ‌દેકાવાડીયા પીએસઆઈ રાધીકા બેન રામાનુજ તેમજ નગરપાલિકાના સફાઈ કામદાર અને સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફના માણસોએ સતત ત્રણ કલાક નર્મદા કેનાલમાં પાણી ખાલી કરી બાળકને શોધખોળ હાથ ધરી હતી

ત્યારે રવિવારે પરોઢિયે નર્મદા કેનાલના સાઈફર માંથી લાશ મળી આવી હતી ત્યારે હળવદ પોલીસે કોહવાયેલી લાશનો કબજો લઈ ને હળવદ ની સરકારી હોસ્પિટલ પીએમ માટે મોકલી ત્યારે ફરજ પરના ડોક્ટરે અશ્વિનભાઈ આદ્રોજાને લાશને તપાસણી કરતા લાશ કોહવાયેલી હોવાથી રાજકોટ ફોરેન્સિક લેબમાં મેડિકલ કોલેજ ખાતે પીએમ માટે મોકલી આપેલ હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!