Dhoraji-Rajkot ધોરાજીમાં માટીના ગરબા બનાવતા કુંભારભાઇઓ મંદીની ઝપટે કોરોનાના પગલે ગરબા નહી વેચાતા હાલત કફોડી સહાય આપવા માંગણી.
ધોરાજી કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે જેના કારણે ત્યારે ધંધા-રોજગાર અને ઉદ્યોગોમાં જોરદાર મંદી આવી ગઈ છે જેને પગલે ધોરાજીના નાના નાના ગૃહ ઉદ્યોગો તેમજ માટીના ગરબા બનાવતા કુંભાર ભાઈઓ કોરોના ને હિસાબે મંદીની ઝપટમાં આવી ગયા છે.
નવરાત્રિનો તહેવાર નજીક આવતા કુંભાર ભાઈઓ દ્વારા માતાજીના ગરબા બનાવવામાં આવે છે અને ગરબામાં ખાસ કરીને જૂદી જૂદી ડિઝાઈન બનાવવામાં આવે છે.
ગરબા વેચવા જવા માટે પોતાની રેકડી લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જાય છે કોરોના ના કારણે મંદી અને બેરોજગારીને લીધે માતાજીના ગરબા વેચાતા નથી.
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2020/10/IMG-20201012-WA0069.jpg)
આ તકે વયોવૃદ્ધ હાસ્ય કલાકાર જણાવેલ કે અમે અમારા બાપદાદાના આ વખત થી છેલ્લા 60 વર્ષથી માતાજીના ગરબા બનાવીએ છીએ તો આવી મંદીમાં સરકારશ્રીએ અમને મદદ કરીને અમને ઉગારવા જોઈએ અન્ય ઉદ્યોગો અને ખેડૂતોને તો સહાય આપતી હોય તો અમને કેમ નહીં? તેવો પ્રશ્ર્ન ઉઠાવી આ પ્રશ્ર્ને આ બાબતે તત્કાલ કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવી છે.
ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2020/10/IMG_20200916_012406-1024x1000.jpg)