હળવદમાં મુખ્ય મંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોઓને માર્ગદર્શન કાયૅક્રમનું આયોજન કરાયું.
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2020/08/IMG-20200828-WA0038.jpg)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના તથા આત્મા નિભૅર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવા નવી યોજના માટેનું ખેડૂતોને ખેડુત લગતી વિવિધ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કરાયું હતું જેમાં સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2020/08/IMG-20200828-WA0037.jpg)
જેમાં રાજ્ય સરકારે ખેડૂતલક્ષી ખેડૂત અને વરસાદના કારણે નુકસાની તેમજ ખેડૂતોની વિવિધ કલ્યાણકારી યોજના ની ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપતા જળ સંચય યોજનાનાચેરમેન ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતુ.
![](https://saurashtrasamay.com/wp-content/uploads/2020/08/IMG-20200828-WA0036.jpg)
કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની ચિંતા કરી કોરોનાની મહામારી વચ્ચે પણ ખેડૂતોને ભારે વરસાદમાં નુકસાની નુ સવૅ કરી ને ખેડૂતો માટે ની નવી યોજના જેવી કે. દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી .કિસાન પરિવહનયોજના. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ જીવામૃત બનાવવાની માટે કિટસહાય યોજના. ખેડૂતો અને ખેત મજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ યોજના. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટકચર યોજના.ટપક સિંચાઈ મારફત પાણીના કરકસરથી ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય યોજના. બાગાયત ખેતી માટે વિનામૂલ્યે છત્રી શેડ કવર પુરા પાડવાની યોજનાસહિતની યોજનાનો ખેડૂતોને સાધન સહાય તેમજ ખેડૂતોને નુકસાની નું વરસાદનું સર્વે કરવામાં આવશે
હળવદ. રમેશ ઠાકોર દ્વારા.