રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં બન્ને એડવોકેટ નાં રીમાંન્ડ નામંજુર થતા જેલ હવાલે કરાયા.

Loading

ચકચારી બનેલા રીબડાના અમિત દામજીભાઇ ખુંટ નાં આપઘાત પ્રકરણ માં એડવોકેટ દિનેશ પાતર તથા સંજય પંડીત ની પોલીસે ધરપકડ કર્યા બાદ અત્રેની એડી.ચિફ જ્યુડી.મેજિસ્ટ્રેટ ની કોર્ટ માં ૧૨ દિવસ નાં રિમાન્ડ ની માંગ સાથે રજુ કરાતા કોર્ટે રીમાંન્ડ નામંજુર કરતા જેલ હવાલે કરાયા હતા.
કોર્ટ માં આરોપી સંજય પંડીત ખુદ વકીલ હોય તેણે દલીલ કરી જણાવ્યું કે સુસાઇડનોટ માં અમારા નામનો ઉલ્લેખ નથી.ફરિયાદ થયા બાદ બન્ને યુવતીઓ એ વકીલ તરીકે અમારો સંપર્ક કરેલ હતો.અમે માર્ગદર્શન અને સલાહ આપી હતી.તપાસ એજન્સી એ અમને સાહેદ બનાવવાનાં બદલે આરોપી બનાવી દિધાછે.અમે અવારનવાર ગોંડલ નાં બાહુબલી જયરાજસિહ સામેનાં કેસમાં તેમના વિરુદ્ધ વકીલ તરીકે રહેતા હોય અમને આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવાયા છે.
સંજય પંડીત તથા દિનેશ પાતરે કોર્ટ માં રહીમ મકરાણીને અમે જાણતા નથી તેવી લેખીત જાણ કરી હતી.
વધુમાં કોર્ટ માં અમે મોબાઇલ આપી દઇશુ તેવુ કહી કોલ ડીટેઇલ માટે રીમાંન્ડ ની જરુર નથી તેવી દલીલ કરી હતી.આરોપી
સંજય પંડીતે કોર્ટ માં જજ સમક્ષ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યુ કે પોલીસે ધરપકડ નો ખોટો સમય દર્શાવી ગેરકાયદેસર રીતે કાયદાની પ્રક્રિયા અનુસર્યા વગર ધરપકડ કરીછે.
એડી.ચિફ જ્યુડી.મેજિસ્ટ્રેટ મેહુલ પરમારે દલીલો બાદ રીમાંન્ડ નામંજુર કરતા બન્ને આરોપીઓ ને જેલ હવાલે કરાયા હતા.

error: Content is protected !!