ગોંડલી નદી પર રુ.65 કરોડનાં ખર્ચે નવા બે બ્રિજ નું કેન્દ્રીય મંત્રીનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયુ.

Loading

કોંગ્રેસ અગ્રણીએ જુના બ્રિજ મુદ્દે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરતાં તાત્કાલિક બે બ્રીજ મંજૂર થયાં હતાં : હાઇકોર્ટનાં આદેશ થી નવા બે બ્રીજનું ખાત મુહુર્ત કરાયુ:

ગોંડલ નાં રાજાશાહી સમય નાં બે પુલ જર્જરીત હોવાની હાઇકોર્ટમાં કોંગ્રેસ નાં આગેવાન યતિશભાઈ દેસાઈએ પીઆઈએલ દાખલ કરી હતી જેમને પગલે હાઇકોર્ટ નાં નિર્દેશન મુજબ હરકત માં આવેલી રાજ્ય સરકારે રુ.65 કરોડ નાં ખર્ચે બે બ્રીજ મંજૂર કર્યા હોય જેનુ ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનસુખભાઇ માંડવીયા અને ધારાસભ્ય ગીતાબા જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત વોરકોટડા રોડ પર વિજયનગર ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર અર્બન હેલ્થ સેન્ટર નું લોકાર્પણ કરાયું હતુ.


યતિષભાઈ દેસાઈ દ્વારા ગોંડલી નદી પરના જુનવાણી બ્રીજ પર મોરબીનાં ઝુલતા પુલ જેવી દુર્ઘટના સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી હાઇકોર્ટ માં પીઆઇએલ દાખલ કરી હતી.જેને પગલે હાઇકોર્ટ દ્વારા આકરું વલણ અખત્યાર કરી રાજ્ય સરકારને ઉધડો લેવાયો હતો.અને રાજ્ય સરકાર દ્વારા બે બ્રિજ મંજુર કરાયા હતા.

રાજાશાહી સમય નાં બન્ને પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાતા એસટી બસો,સ્કુલબસ સહિત ભારે વાહનોને સાત થી આઠ કી.મી.નો ફેરો લગાવવો પડેછે.ત્યારે કોલેજચોક જીમખાના પાસેથી નદી ઉપર તથા ભોજરાજપરા સાઇડીંગ પાસેથી નદી ઉપર બ્રિજ ની મંજુરી મળી હોય ખાતમુહૂર્ત કરાયુ હતુ.જે આગામી સમયમાં રાહતરુપ ગણાશે.


ખાતમુહૂર્ત સમયે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નાગરિકબેન્ક ચેરમેન અશોકભાઇ પીપળીયા, માર્કેટયાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, નગરપાલીકા પ્રમુખ અશ્વીનભાઈ રૈયાણી, કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા, બાંધકામ ચેરમેન જગદીશભાઈ રામાણી, સમીરભાઈ કોટડીયા, અશ્વિનભાઈ ઠુંમર, નગરપાલિકા ઉપ પ્રમુખ પરિતાબેન ગણાત્રા, રીનાબેન ભોજાણી, ભાવનાબેન રૈયાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!