સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાપક ઉપપ્રમુખ શ્રી વી. એચ. જોષી, મંત્રી શ્રી યુ. એન.પંડ્યા, શ્રી ડી. બી. દવે , શ્રી કે. જી. રાઠોડ અને શ્રી એન. એસ. ઉપાધ્યાયનો ગરિમાપૂર્ણ સન્માન સમારોહ યોજાયો.

સિનિયર કુલપતિ પ્રો. બી. એલ. શર્મા અને પૂર્વ કુલપતિ પ્રો. અનામિક શાહ ઉપસ્થિત રહ્યા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની સ્થાપના 1972માં શ્રી આર.ડી. આરદેશણાના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા થઈ હતી. સોસાયટીના પ્રમુખ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાની અધ્યક્ષતામાં મળેલી કારોબારીની બેઠકમાં આ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરવામાં જેમની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે, એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવશ્રી આર.ડી. આરદેશણા, સ્થાપક ઉપપ્રમુખ શ્રી વી. એચ. જોષી, સ્થાપક મંત્રી શ્રી યુ. એન. પંડ્યા, શ્રી ડી. બી. દવે, શ્રી કે જી. રાઠોડ અને શ્રી એન. એસ. ઉપાધ્યાયનું ગરિમાપૂર્ણ સન્માન કરવાનું સર્વાનુમત્તે ઠરાવવામાં આવ્યું હતું.


તા.૦૫/૧૦/૨૦૨૨ ને મંગળવાર ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ના પાયાના પથ્થર સમાન મહાનુભાવોનો સન્માન સમારોહ સિનિયર કુલપતિ પ્રો. બી. એલ. શર્મા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત ડો. સ્વાતિબેન જોષીના સુમધૂર કંઠે ગવાયેલ પ્રાર્થના થી થઇ હતી. ત્યારબાદ પ્રો. બી. એલ. શર્મા અને સન્માનિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય થયું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરતાં સોસાયટીના પ્રમુખ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, આજથી પચાસ વર્ષ પહેલા 1972માં આ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને માત્ર ચાર રૂપિયાના વારના ભાવે યુનિવર્સિટી રોડ જેવા પોશ વિસ્તારમાં જમીન ફાળવણીનું ભગીરથ કાર્ય કરનાર આ હાઉસિંગ સોસાયટીના ગૌરવવંતા સ્થાપક કારોબારી સભ્યોને જેટલા બિરદાવીએ અને સન્માનીએ એટલા ઓછા છે. આ સન્માનિત વિભૂતિઓના પરોપકારી કાર્યને આ હાઉસિંગ સોસાયટીના તમામ સભ્યો હર હંમેશ યાદ રાખશે એમ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાએ અંતમાં જણાવ્યું હતું.

પ્રો. અનામિક શાહે પોતાના પ્રાસંગિક ઉદબોધનમા શ્રી વી. એચ. જોષી, શ્રી યુ. એન. પંડ્યા, શ્રી ડી. બી દવે , શ્રી કે. જી. રાઠોડ અને શ્રી એન.એસ. ઉપાધ્યાયની વહીવટી સૂઝ, નિષ્ઠા અને પોતાની સંસ્થા માટે કંઇક કરી છૂટવાની ભાવનાને બિરદાવી હતી.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ અને સ્થાપક પ્રમુખ શ્રી આર.ડી. આરદેશણાના એક વખતના સંઘર્ષના સાથી , સોસાયટીના પ્રથમ ઉપપ્રમુખ એવા શ્રી વી. એચ. જોશીએ પોતાના સન્માનના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના બાદ યુનિવર્સિટી કેમ્પસના મકાન બનવા લાગતા યુનિવર્સિટીની વહીવટી ઓફિસ જે શહેરમાં ચાલુ હતી, તે કેમ્પસમાં શિફ્ટ થવાની હતી તે સ્થિતિમાં શ્રી આર.ડી. આરદેશણાએ સાથી કર્મચારીઓને શહેરમાંથી ઓફિસે આવવા જવાનું સરળ બને એવા શુભ આશયથી યુનિવર્સિટી કેમ્પસ નજીક સહકારી હાઉસિંગ સોસાયટી બનાવવા અમોને સૂચન કર્યું હતું.


આ જમીન ગ્રીનબેલ્ટમાં મૂકાતાં મુશ્કેલીઓ વધી તેને ગ્રીનબેલ્ટમાંથી મુક્તિ અપાવવા તત્કાલીન મંત્રીશ્રીઓ- શ્રી મનોહરસિંહ જાડેજા તેમજ શ્રી મનસુખભાઈ જોશી વગેરેના સહકારથી ગ્રીનબેલ્ટમાંથી સોસાયટીને મુક્તિ અપાવી. નાના કર્મચારીઓ પાસે મકાનના બાંધકામના પૈસા ક્યાંથી હોય ? તે ધ્યાને લઇ 400 વારના પ્લોટ પાડયા, જેથી મકાન બનાવવાના સંદર્ભે જરૂર પડ્યે અડધા પ્લોટ વેચીને પણ મકાન આસાનીથી બનાવી શકાય.
થોડા કર્મચારીઓ મકાનના બાંધકામ માટે તૈયાર થયા, પરંતુ મકાનના બાંધકામ માટે મૂડી ન હોવાને કારણે તત્કાલીન પ્રમૂખ શ્રી આર.ડી. આરદેશણાએ શ્રી વલ્લભભાઈ પટેલ સાથેના પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કર્યો. અને આર.ડી.સી. બેંક, રાજકોટમાંથી જે-તે વખતે લોન મેળવી, મકાનોનું બાંધકામ શક્ય બનાવ્યું.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ મકાન માલિક બને તેવી શુભ ભાવનાથી આ સંકલ્પને સફળતા પૂર્વક અમલમાં મૂક્યો. પરિણામે નિવૃત્તિ વખતે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાના કર્મચારીઓ કિંમતી જમીનના પ્લોટના માલિક બની શક્યા.
આ ભગીરથકાર્યનો સંપૂર્ણ શ્રેય આપણી સોસાયટીના સ્થાપક પ્રમુખશ્રી આર.ડી. આરદેશણા તેમજ તમામ કારોબારીના સભ્યોને (૧૯૭૨) ફાળે જાય છે, કે જેમણે પુરુષાર્થની પરાકાષ્ઠા સર્જી અને આ હાઉસિંગ સોસાયટીનું નિર્માણ અનેકવિધ પડકારો વચ્ચે પણ શક્ય બનાવ્યું. ” અધ્યક્ષીય ઉદ્દબોધન કરતા સિનિયર કુલપતિ પ્રો. બી. એલ. શર્માએ જણાવ્યુ હતું કે શ્રી વી. એચ. જોષી, શ્રી યુ. એન. પંડ્યા, શ્રી ડી. બી. દવે, શ્રી કે.જી.રાઠોડ અને શ્રી એન. એસ. ઉપાધ્યાય દ્વારા પચાસ વર્ષ પહેલાં ૧૯૭૨ માં કરવામાં આવેલી કામગીરી ને આજે વર્ષ ૨૦૨૨ માં બિરદાવી તે બાબત આ હાઉસિંગ સોસયટીના તમામ સભ્યોનો કૃતજ્ઞતાભાવ પ્રતિબિંબિત કરે છે. આ પાંચેય સન્માનિત વિભૂતિઓએ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાં પોતાના કાર્યકાળમાં તમામ વર્ગના લોકોને યોગ્ય માર્ગદર્શન આપી હમેશા શિક્ષણ જગત અને સમાજને ઉપયોગી થવાની પ્રતિબદ્ધતા બરકરાર રાખી હતી. આવા સાચા અર્થમાં સન્માનને પાત્ર લોકોને આ હાઉસિંગ સોસાયટી પોતાના ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે ફૂલડે વધાવી અને સન્માનિત કરે તે ખરેખર એક ગૌરવપ્રદ ઘટના છે.આભારવિધિ કારોબારી સભ્ય શ્રી જીતેશ એમ. પંડિતે કરી હતી.


સોસાયટીના વરિષ્ટ કારોબારી સભ્યો એવા શ્રી જે. એમ. પંડિત, શ્રી રમેશભાઈ સભાયા, શ્રી શ્રીજિત સુકુમાર નાયર, શ્રી મૌલિક સિંહ ભટ્ટી, ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી ભરતભાઈ વાજા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી દિવ્યેશભાઈ કગથરા, શ્રી અમિતકુમાર કત્યાલ વગેરે આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સન્માન સમારોહને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયા, મંત્રીશ્રી સાજીભાઈ મેથ્યુ, સહમંત્રીશ્રી અજયસિંહ પરમાર, સહમંત્રીશ્રી રમેશભાઈ સભાયા, કારોબારી સભ્યો ઉદ્યોગપતિ શ્રી શૈલેષભાઈ પટેલ શ્રી જીતેશભાઈ એમ. પંડિત,શ્રી ભરતભાઈ વાજા, શ્રી મૌલિકસિંહ ભટ્ટી, શ્રી શ્રીજીત સુકુમાર નાયર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી પ્રેરિત કલ્ચરલ ફોરમ ના મેમ્બર્સ ડો. સેજલબેન ભટ્ટ, શ્રીમતી રાગિણીબેન દિનેશભાઈ ભૂવા અને શ્રીમતી કાજલબેન જ્યુલભાઇ ખેરડીયા ,પૂર્વ પ્રમુખ શ્રી જે. પી. મેહતા, પૂર્વ પ્રમુખ શ્રી પી. એચ. પરસાનિયા , અગ્રણી શ્રી નીલેશભાઈ માંડવીયા , શ્રી દિનેશભાઈ ભૂવા, શ્રી યોગેશભાઈ જોષી, શ્રી દિવ્યાંગ રાવલ તેમજ સોસાયટીના તમામ સદસ્યશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.જાણીતા બિલ્ડર શ્રી યોગેશભાઈ ગરાળા, ડીવાય. એસ. પી. શ્રી રોહિતસિહ ડોડિયા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ભરતભાઈ વાજાએ કાર્યક્રમને સફળતા ઈચ્છતા સંદેશા પાઠવ્યા હતા.

error: Content is protected !!