મોરબી જિલ્લામાં વ્યાજખોરોની હવે ખેર નથી પોલીસ અધિક્ષકે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો.

મોરબી જીલ્લાના વ્યાજવટાવના ચક્રમાં ફસાયેલ વ્યક્તિઓ માટે પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

મોરબી જીલ્લામાં વસતા કેટલાક લોકો વ્યાજવટાવના ચક્રમાં ફસાયેલ હોય અને તેઓ ગેરકાયદેસર વ્યાજવટાવના ધંધાર્થીઓ પાસેથી મજબુરીના કારણે ઉંચા વ્યાજદરે મોટી રકમ લેતા હોય છે ત્યારબાદ થોડો સમય ઉંચુ વ્યાજ ભરી પછી વ્યાજ આપવાની ક્ષમતા હોતી નથી તેમજ ભયના કારણે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ, અરજી કે રજુઆત કરવા જતા પણ ડરતા હોય છે.


આ અંગે મોરબી પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓએ નાણા ધીરધાર માન્યતા પ્રાપ્ત સંસ્થા કે બેન્ક સિવાય કોઈપણ પાસેથી લેણદેણ કરવી જોઈએ નહી છતાં પણ કોઈ વ્યક્તિ ગેરકાયદેસર વ્યાજવટાવના ધંધાર્થીના ચક્રમાં ફસાયેલ હોવાથી તેઓની રજુઆત સાંભળવા તથા તાત્કાલિક નિરાકરણ લાવવાના હેતુથી પોલીસ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગેરકાયદેસર વ્યાજવટાવનો ભોગ બનનાર વ્યક્તિએ 9316847070 નંબર ઉપર સંપર્ક કરી માહિતી આપવા મોરબીની આમ જનતાને અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!