રાજકોટ જિલ્લાના શાપર – વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના કારખાનેદારો સાથે ‘સેફટી સેમીનાર’ યોજાયો.

કારખાનાઓમાં અકસ્માતનું પ્રમાણ ઘટાડી શ્રમિકોને

સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની સમજ અપાઈ

 રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર – વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના વિવિધ  કારખાનેદારો સાથે ‘સેફટી સેમીનાર’  રાજકોટના જોઈન્ટ ડાયરેકટરશ્રી, ઈન્ડ્ર. સેફટી અને  હેલ્થનાં વડાશ્રી એચ. એસ. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

             આ સેફટી સેમિનારમાં શાપર – વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારનાં વિવિધ કારખાનાના માલીકો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારમાં ફાઉન્ડ્રી ઉદ્યોગોમાં ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની પ્રક્રિયા દરમ્યાન અકસ્માતનું પ્રમાણ ઘટે અને શ્રમિકો સુરક્ષિત વાતાવરણમાં કામગીરી કરી શકે તે અંગેનું  માર્ગદર્શન તથા કાયદાકીય સમજ ઉદ્યોગકારોને આપવામાં આવ્યું હતું.

             આ કાર્યક્રમમાં ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ  એસો.ના  સેક્રેટરીશ્રી નિલેશભાઈ માંકડિયા, જોઈન્ટ સેક્રેટરીશ્રી પ્રમિત સોરઠીયા, શાપર – વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસો.નાં વાઈસ પ્રેસિડન્ટશ્રી રતિલાલ સાદરીયા, રાજકોટ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના ડેપ્યુટી ડાયરેકટરશ્રી જે. એમ. દ્રિવેદી, આસિસ્ટન્ટ ડાયરેકટરશ્રી ડી.બી. મોણપરા, શ્રી એચ.એ. ચોટલીયા, શ્રી બી.પી. પંચાસરા , શ્રી વી.પી. પરવડા , કાયદા અધિકારીશ્રી બી. એ. પટેલ, તથા સર્ટીફાઈંગ સર્જન ડો. જે.વી. ઝાલાવાડીયા સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.તેમ રાજકોટ જિલ્લાનાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થયનાં નાયબ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું હતું.                                

error: Content is protected !!