ગોંડલના ઉમરાળા રોડ પર પ્રેમીને મળવા ગયેલી સગીરા પર ગેંગરેપ: ત્રણેય નરાધમની ધરપકડ.

પ્રેમી સાથે એકાંતમાં વાતચીત કરવા માટે ઉમરાળા રોડ પરની જગ્યા પાસે ગયા હતા:ત્રણેય શખ્સોએ પ્રેમી સાથે મારકુટ કરી છરી બતાવી સગીરાને ઢસડી અને ઓઢણી પર સુવડાવી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું:ગોંડલ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો

 

ગોંડલના ઉમરાળા રોડ પર આવી જ રીતે એકાંતમાં બેઠેલાં પ્રેમી-પંખીડા પર ત્રણ નરાધમોની નજર પડી જતા ભૂખ્યા વરૂની માફક સગીર વયની યુવતી પર તૂટી પડી વારાફરતી દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

 

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલના ચોરડી દરવાજાના ચોક પાસે રહેતા પ્રતિક પિત્રોડા ઉમર વર્ષ 24 નામનો યુવાન અને તેની સગીર વયની પ્રેમિકા સાથે બપોરના 12 કલાકે એકાંતમાં વાતચીત કરવા ઉમવાળા રોડ પર આવેલા વિરાન-વિડીની જગ્યા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ભૂખ્યા વરુ સમાન અજયનાથ દિનેશનાથ માંગરોલીયા(રહે. કોટડા સાંગાણી),સંજયનાથ ગુલાબનાથ માંગરોલીયા(રહે.ઉમવાડા રામાપીર મંદિર પાસે) તેમજ મુકેશનાથ ગુલાબનાથ નકુમ(રહે.ઉમવાડા સરકારી ક્વાર્ટરવાળા)ઓ બાઇક પર પ્રેમી-પંખીડાઓ પાસે પહોંચ્યા હતા.કંઈ સમજે તે પહેલાં ત્રણેયે પ્રેમી યુવક સાથે મારઝૂડ કરી છરી બતાવીને યુવકને ગોંધી લીધો હતો. બાદમાં સગીરાને 300 મીટર દૂર ઢસડીને તેની જ ઓઠણી પાથરી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવના પગલે પ્રેમી-પંખીડા સ્તબ્ધ થઇ ગયા હતા.

15 વર્ષની તરૂણી પર ત્રણ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવા છતાં સમાજમાં આબરૂ જવાની બીકે અને નામ જાહેર થશે તો બદનામી થશે તેવા ડરથી તરૂણી અને તેમનો પરિવાર પોલીસ ફરિયાદ કરવા માગતો ન હતો. જોકે ઉપરોક્ત ત્રણ નરાધમોએ અગાઉ પણ આવું કૃત્ય કર્યું છે કે કેમ? કોઈ યુવતી કે તરૂણીની જિંદગી બરબાદ કરી છે કે કેમ? તે સહિતની વિગતો બહાર આવે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ ફરિયાદ કરવી જરૂરી હોવાનું જણાવતા ત્રણ કલાકના અંતે તરુણી પોલીસ ફરિયાદ કરવા સહમત થઈ હતી.

 

પોલીસે આ તકે જાહેરાત પણ કરી છે કે અન્ય કોઈ યુવતી કે તરૂણી ઉપરોક્ત ત્રણ શખ્સનો ભોગ બની હોય તો તેને પોલીસને વિગતો જણાવવી. તમામના નામ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસને શંકા છે કે, તરુણી સાથે દુષ્કર્મ આચરનાર ત્રણેય શખ્સોએ પ્રથમ વખત આ કૃત્ય ન કરતા અગાઉ પણ કેટલીક નિર્દોષ યુવતીઓ સાથે અધમ કૃત્ય કર્યું હોવું જોઈએ અને આથી જ ભોગ બનનારને આગળ આવવા અપીલ કરી છે.

 

ગભરાયેલા યુવકે ગોંડલ સિટી પોલીસને જાણ કરતા સિટી પી.આઈ મહેશ સંગાડા,શક્તિસિંહ જાડેજા, અમરદીપસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ સહિતના પોલીસ કર્મચારીઓએ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને ત્રણેય શખ્સોને ઉમરાળા રોડ પાસેથી જ ઝડપી લઈ પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉમરાળા રોડ પર દિવસ દરમિયાન લોકોની અવરજવર ઓછી રહેતી હોય છે. પ્રેમી પંખીડાઓ માટે એકાંતમાં મળવાનું સ્થળ બની ગયું છે. પરંતુ ક્યારેક ભૂખ્યા વરૂઓની નજર પડી જાય તો કેટલી મોટી દુર્ઘટના બની શકે તે આ કિસ્સામાંથી બોધપાઠ લેવો જરૂરી છે.

error: Content is protected !!