બી.પી.એલ. યાદીમાં નામ ઉમેરવા માટે ની મુદતમાં ૩૧મી સુધીનો વધારો કરાયો.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય રહેવાસીઓને જાણ કરવામાં આવે છે કે, જે અરજદારોનો વર્ષ ૨૦૦૨-૦૩ તેમજ ત્યાર બાદની બીપીએલ યાદીમાં સમાવેશ ન થયેલ હોય તેવા અરજદારો અથવા કુટુંબની મુખ્ય વ્યકિતનું મૃત્યુ થયેલ હોય અને વિધવા મહિલા કુટુંબના વડા હોય તેવા કુટુંબો, ગંભીર રોગની બિમારી ધરાવતા કુટુંબો તથા વિકલાંગ કુટુંબોએ પોતાના નામ આ યાદીમાં સમાવવા માટે જરૂરી સર્વે કરાવવાની તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે, આથી નિયત નમુનામાં તાલુકા વિકાસ અધિકારીશ્રીની કચેરીએ નીચે મુજબના સાધનીક કાગળો સાથે કચેરી સમય દરમ્યાન આ અંગેની અરજી કરવાની રહેશે.

વર્ષ ૨૦૦૨-૦૩ ના સર્વેમાં તેમજ ત્યાર પછીના સર્વેમાં જેનો સર્વે થયેલ હોય અને જેમનો સમાવેશ ૦ થી પર ના સ્કોરમાં થયો હોય તેવા અરજદારો ફરીથી અરજી કરવાની રહેતી નથી, જે કુટુંબો આ યાદીમાં પોતાનું નામ સામેલ કરવા માંગતા હોય તેમણે – રેશનકાર્ડ ચુંટણીકાર્ડ / આધારકાર્ડ, જમીન ધરાવતા હોય / ન ધરાવતા હોય, (તલાટી-કમ-મંત્રીશ્રી નો દાખલો), કાચું/પાકુ/ મકાન ધરાવે છે/ ધરાવતા નથી (તલાટી-કમ-મંત્રીશ્રી નો દાખલો),આવક અંગેનો સક્ષમ સત્તાધિકારીનો દાખલો વગેરે સાથે અરજી કરવાની રહેશે,  તેમ નિયામકશ્રી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,રાજકોટ ની યાદીમાં જણાવાયુ છે.

error: Content is protected !!