Gondal-Rajkot-ગોંડલમાં હનુમાન જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી ભવ્ય શોભયાત્રા નીકળી.

ગોંડલમાં હનુમાન જયંતિના તહેવારની ધામધુમપુર્વક ઉજવણી થઇ રહી છે આજે સવારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૩ વર્ષથી ગોંડલમાં હનુમાન જયંતીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે પણ ગોંડલમાં હનુમાન જયંતિ ના દિવસે ભવ્ય શોભયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં જય શ્રી રામ ના જયઘોષ સાથે ૫૦૦થી વધુ વાહનો તેમજ ૧૫૦૦ જેટલા લોકો જોડાયા હતા. શોભાયાત્રાનું ઠેર-ઠેર ફુલહાર કરી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું

 

આ શોભાયાત્રા ગુંદાળા રોડ રામ બંગલા થી પ્રસ્થાન થઈ બસ સ્ટેન્ડ ચોક, ગુંદાળા દરવાજા,જેલચોક, ઉદ્યોગ ભારતી ચોક, મોટીબજાર, માંડવીચોક, સેન્ટ્રલ સિનેમા ચોક,કોલેજ ચોક, શ્યામવાડી, ભુવનેશ્ર્વરી મંદિર રોડ થઈ તરકોશી હનુમાનજી મંદિરે પહોંચી વિસર્જન પામશે.તરકોશી હનુમાનજી મંદિરે મહાઆરતી બાદ ભોજન પ્રસાદ નુ આયોજન કરાયુ છે.શોભાયાત્રા મા વિવિધ ફલોટસ તથા યુવાનો બાઇક રેલી સાથે જોડાયા હતા.શોભાયાત્રા માં સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!