Gondal-Rajkot ગોંડલમાં વિપ્ર પરિવારનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું : રૂ.૨.૯૭ લાખની ચોરી.


ગોંડલના જેતપુર રોડ સાંઢીયા પુલ પાસે અજંતા સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના અને ટીવી સહિત રૂા.૨.૯૭ લાખની તસ્કરી કર્યાની ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલની અજંતા સોસાયટીમાં રહેતા કમલેશભાઇ પ્રેમજીભાઇ ટુકડીયા (ઉ.વ.૪૪) નામના યુવાને ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે પોતે કુરીયર સર્વિસમાં કામ કરે છે.

તા.૧૦/૧ના રોજ હું તથા મારા પત્ની અમારૂ મકાન બંધ કરી મારા પિતા પ્રેમજીભાઇની તબીયત ખરાબ હોય જેથી જેતપુર રોડ ૨૨૦ કેવી સામે ઉદ્યોગભારતી સોસાયટી બ્લોક નં.૩૭માં રહેતા મારા મોટાભાઇ નિલેષભાઇના ઘરે ગયા હતા અને બપોરના સમયે મારા પિતાનું અવસાન થતા ત્યાં જ રોકાયા હતા બાદમાં તા. ૧૪ના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યે હું તથા મારા પત્ની અમારા ઘરે કપડા લેવા ગયેલ અને પાછુ અમારૂ મકાન બંધ કરી મોટા ભાઇના ઘરે આવી ગયા હતા. ત્યારબાદ તા.૧૫ ના રોજ મારા પત્ની સાથે ઘરે આવતા ઘરની અંદર પ્રવેશ કરતા હોલના દરવાજાનું તાળુ તુટેલુ હતું અને ઘરનો સામાન વેરવિખેર હતો. તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રૂા. ૬૦ હજાર મળી કુલ રૂા. ૨.૯૭ લાખની મતા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.આ બનાવ અંગે ગોંડલ સીટી પોલીસ મથકનાં પીઆઇ એસ.એમ.જાડેજા સહિતનો સ્ટાફ તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

error: Content is protected !!