Morbi-માંન.મંત્રીશ્રી કુંવરજીભાઈબાવળીયા સાહેબના હસ્તે ફ્લેગ ઓફ આપીને મોરબી ખાતે ત્રીજા તબક્કામાં મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ.


ટંકારા ના સજ્જનપર અને મોરબી ના રંગપર ખાતે મોબાઈલ પશુ દવાખાનાની ફાળવણી.
 ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિઃશૂલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભઆશયથી મોબાઈલ પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જે અન્વયે મોરબીના રંગપર અને ટંકારાના સજ્જનપર ખાતે બે મોબાઈલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે, જેનો લોકાર્પણ સમારોહ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં પાણી પુરવઠા અને પશુપાલન કેબીનેટ પ્રધાનશ્રી કુંવરજીભાઈ બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. 


મોબાઈલ પશુ દવાખાનાના લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા અને પશુપાલન કેબીનેટ પ્રધાનશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે પશુપાલન વિભાગ હસ્ત મોબાઈલ પશુ દવાખાનાની શરૂઆત કરાવી  જેના ભાગરૂપે આજે મોરબી ખાતેથી અગાઉ મોબાઈલ પશુ દવાખાના ચાર વાહનો ફાળવેલ છે. આજે વધુ બે વાહનો મોબાઈલ પશુ દવાખાના માટે ફાળવેલ છે. મોરબી ખાતે ખેડૂતો અને પશુપાલકોના પશુઓને વિનામૂલ્યે સારવાર મળતી રહે તે માટે આજે ત્રીજા તબક્કાના વાહનો એટલે પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં વધુ ચાર મોબાઈલ પશુ દવાખાના ફાળવવાનો નિર્ધાર કર્યો છે. 
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા પદાધિકારિઓએ આ મોબાઈલ પશુ દવાખાનાને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું. 
આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, મોરબી વિસ્તારના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કિશોરભાઈ ચિખલિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, નાયબ પશુપાલન નિયામક ડૉ. આર.જે. કાવર, મદદનીશ પશુપાલન નિયામકશ્રી સર્વેશ્રીઓ ડૉ.જે.પી. ઉઘરેજા અને ડૉ. એન.જે. વડનગરા, ડૉ. એન.જે. કાસુન્દ્રા, ડૉ. જે.વી. પટેલ સહિતના અધિકારીઓ તેમજ પશુપાલન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!