Upleta-Rajkot ઉપલેટા ગુજરાત કિશાન સભા દ્વારા દિલ્હી ખેડૂત આંદોલનને સમર્થન તેમજ ખેડૂત વિરોધી કાયદાને લઈને આવેદનપત્ર પાઠવેલ.

હાલ દિલ્હીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ સંસદમાં પસાર કર્યા છે તે કાયદાઓ ખેડૂતો વિરોધી છે. ભારત દેશની કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાયદા બનાવ્યા છે તેમાં આવશ્યક ચીજવસ્તુઓ કાયદા સંશોધન 2020, એ.પી.એમ.સી. બજાર સમિતિ કાયદા વટ હુકમ એટલે કે કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર સંવર્ધન અને સુવિધા વટહુકમ 2020 તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી કૃષિ સેવા 2020 ના કાયદાઓ બનાવ્યા છે. આ કાયદાઓ અંગે દેશના ખેડૂતોએ કોઈપણ જાતની માંગ કરેલ નથી. આ કાયદાઓ બનાવતા પહેલા ખેડુત સંગઠનો પાસે કોઇપણ જાતનો સૂચન કે અભિપ્રાય પણ મેળવેલ નથી તેમજ દેશના સંઘરાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરેલ નથી આથી આ કાયદાઓના રચનાથી ખેતીનું કંપની કરણ થઈ જશે. આ કાયદાથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પણ પડશે.
ખેડૂતો દ્વારા ઉત્પાદન થતી 22 ખેત જણસીને આવશ્યક ચીજવસ્તુના દરજ્જા માંથી કાઢી નાખવામાં આવી છે તેથી સરકારનું નિયંત્રણ રહેશે નહીં અને આ તમામ વસ્તુઓ પર ખાનગી કંપનીઓનું નિયંત્રણ જ રહેશે. આ ખેત પેદાશોમાં કંપનીઓને ખુલ્લી છૂટ મળશે આથી દેશના ખેડૂતોને 22 જેટલી ખેતપેદાશો છે તે હાલ કંપનીઓના હવાલે કરી દીધી છે આમ ભવિષ્યમાં દેશના ખેડૂતોનું ખુલ્લુ શોષણ કંપનીઓ કરશે અને ખેડૂતોના 86% નાનાસીમાંત પર અને ગરીબ ખેડૂતો બેહાલ થઇ જશે. આથી ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટાના જાહેર ચોકમાં એકઠા થઇ અને સૂત્રોચ્ચાર કરી ખેડૂત વિરોધી કાયદાઓ તેમજ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનમાં સમર્થન આપવા તેમજ આ ત્રણ કાયદાઓ પાછા ખેંચવા રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને આજે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ઉપલેટા:-આશિષ લાલકીયા દ્વારા.


error: Content is protected !!