Halvad-Morbi જુના દેવળીયા ગામે બીમારીથી કંટાળીને મહિલાએ એસિડ પીને કર્યો આપઘાત ઘનશ્યામપુર ગામની સીમમાં ગળાફાંસો ખાઇને યુવાનનો આપઘાત

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતી મહિલા જૂની બીમારીથી કંટાળી ગઈ હોય તે પોતાના ઘરે એસીડ પી ગઈ હતી જેથી કરીને તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર મળે તે પહેલાં મહિલાનું મોત નિપજયું છે જેથી હળવદ તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે કોળીવાસમાં રહેતા મેરૂભાઈ દેગામાના પત્ની હંસાબેન મેરુભાઈ દેગામા (ઉંમર ૪૦) ગત તા ૧૩/૧૧ ના રોજ પોતાના ઘરે એસિડ પી ગયા હતા જેથી તેઓને મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નહીં મળતા તેઓનો સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.જેથી કરીને હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ તજવીજ શરૂ કરે છે દરમિયાન પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે છેલ્લાં થોડાં વર્ષોથી હંસાબેન શારરીક બિમાર રહેતા હતા અને ટીબી થઇ ગયુ હોવાથી માનસિક ટેન્સનમાં આવી જતા તેમને એસીડ પીને આપઘાત કરેલ છે

યુવાનનો આપઘાત

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં ધરમશીભાઈ દલુભાઇ દલવાડીની વાડી રહેતા અને મજૂરી કામ કરતા પ્રકાશભાઈ રાજુભાઈ તોમર (૨૦) મૂળ રહે મધ્યપ્રદેશ હાલ રહે ઘનશ્યામપુર વાળાએ કોઈ કારણોસર પોતાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો તેથી કરીને આ બનાવનું હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!