Dhoraji-Rajkot ધોરાજી ખાતે શાંતિ સમિતિની બેઠક‌ તહેવારો ભલે આવે ગાઇડલાઇન ન ભૂલાય, ધોરાજીમાં શાંતિ સમિતિની બેઠક મળી

ધોરાજીમાં શાંતિ સમિતિની તાજેતરમાં બેઠક મળી હતી.તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે શહેરના આગેવાનોની ઉપસ્થિતીમાં પીઆઇ હકૂમતસિંહ જાડેજાના પ્રમુખ સ્થાને આ બેઠક યોજાઈ હતી જેમાં લલીતભાઈ વોરા અફરોઝ ભાઈ લકકડકૂટા,દિલીપ ભાઈ હોતવાણી,વી.વી વધાસીયા બાસીત ભાઈ પાનવાલા,હમીદ ભાઈ કાસમભાઈ અશોકભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા કોવિડ-૧૯ ની મહામારી અને અનલોક-૫ અને સરકારની ગાઇડલાઇન અને જાહેરનામાનો અમલ કરવા માટે બારમી શરીફના જૂલૂસ ન્યાઝ સહિતના કાર્યક્રમો રદ કરાયાની જાહેરાત કરાઈ હતી. પીઆઇએ જણાવ્યું હતું કે તહેવારોની ઉજવણી થાય તેમાં પણ કોવિડ અંગેની ગાઇડલાઇન્સનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જ તેમાં બે મત નથી.

ધોરાજી:-સકલેન ગરાણા દ્વારા.

error: Content is protected !!