Jasdan-Rajkot જસદણ સરકારી હોસ્પિટલ ના મુખ્ય પટાંગણમાં જસદણના રાજવી પરિવારના નામદાર દરબાર સાહેબ શ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબ ના યજમાન પદે “ગાયત્રી યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું.

કોરોના મહામારીની શરૂઆતના પ્રથમ દિવસથી જ નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણના આયોજન હેઠળ જસદણ શહેર તેમજ પંથકને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવાના શુભ આશયથી શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞની જયોત આજના દિવસે પણ પ્રજવલિત છે હાલ જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવા માટે અમારી સંસ્થા પૂરતી સક્રિયતા દાખવી રહી છે

*આગામી દશેરાના દિવસે ભગવાન શ્રી રામ કોરોના નામક રાક્ષસનો સંહાર કરી સમગ્ર વિશ્વની નિર્દોષ માનવજાત માં રહેલી દહેશતથી છૂટકારો અપાવે તેમજ સમગ્ર વિશ્વમાં સુખ શાંતિ અર્પે એવી પ્રાર્થના અને પૂર્ણ શ્રદ્ધા સાથે આગામી તા – ૨૫/૧૦/૨૦ ને રવિવારના રોજ સાંજે ૫/૩૦ કલાકે જસદણ સરકારી હોસ્પિટલ ના મુખ્ય પટાંગણમાં જસદણના રાજવી પરિવારના નામદાર દરબાર સાહેબ શ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબ ના યજમાન પદે “ગાયત્રી યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી પરિવારની બહેનો દ્વરા શાસ્ત્રોકત વિધીથી “ગાયત્રી યજ્ઞ” કરવામાં આવ્યું હતુ

“ગાયત્રી યજ્ઞ” માં જસદણ વહીવટીતંત્ર – પોલીસ તંત્ર – આરોગ્ય તંત્ર – નગરપાલિકા ના વિવિધ પદાધિકારીઓ તેમજ શહેરીજનોને મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સંસ્થા તરફથી આમંત્રણ પાઠવવામાં આવશે અને દર્દીઓને તેમજ આમંત્રિત મહેમાનોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે માટે ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવશે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!