Jasdan-Rajkot નિઃસ્વાર્થ સેવા સમિતિ જસદણ દ્રારા સરકારી હોસ્પિટલમાં સ્વાદિષ્ટ આરોગ્ય વર્ધક મગના ઓસામણ નું વિતરણ કરવામાં આવ્યું.

નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણ ના આયોજન હેઠળ આજરોજ જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ તેમજ સામાન્ય દર્દીઓ અને સરકારી હોસ્પિટલમાં સેવા આપી રહેલા તમામ સ્ટાફ માટે વિવિધ પ્રકારની કુદરતી ઔષધી ભરપૂર અને શુદ્ધ ઘી માં તૈયાર કરવામાં આવેલ ગરમાગરમ આરોગ્ય વર્ધક મગના ઓસામણનું વિતરણ કરતા દર્દીઓ સહિત કુલ ૯૫ લોકો સ્વાદ થી પ્રભાવિત થયા હતા.

જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એમ.મૈત્રી સાહેબ ડો. તાવિયા સાહેબ આરોગ્ય વિભાગ ના તાલુકા હેલ્થ સુપરવાઈઝર જીતુભાઈ પટેલ તેમજ જસદણ નગરપાલિકા ના કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા દ્વારા અઠવાડીયામાં એકવાર આરોગ્ય વર્ધક મગના ઓસામણ ની સેવા ચાલુ રાખવા સૂચન કરતા નિસ્વાર્થ સેવા સમિતિ ના પ્રમુખ મેહુલભાઈ સંઘવી અને મહામંત્રી હસમુખભાઈ મકવાણાએ સૂચનનો સ્વીકાર કરી જસદણ સરકારી હોસ્પિટલમાં દર શનિવારે મગના ઓસામણ નું વિતરણ કરવાનું નકકી કર્યુ હતું.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!