Upleta-Rajkot નિલાખામાં ફરી એક વખત વાવેલો પાક પણ નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો પ્રથમ નુકશાનનું વળતર નથી મળ્યું ત્યાં બીજી વખત પાક નિષ્ફળ:ઉભા મોલ અને જમીનનું ફરી એક વાર ધોવાણ.

લીલાખા માં વિરામ બાદ પડેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે જે અગાઉ પડેલા વરસાદના પાણી હજુ ખેતરોમાંથી ઓસર્ય નથી ત્યાં ફરી એક વખત જે રીતે અનરાધાર અને ધોધમાર વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોને ફરી એક વખત ફટકો પડ્યો છે કારણ કે અગાઉ જે વરસાદ પડ્યો હતો તેના કારણે ખેતરોના પાક અને ખેડુતોની જમીન ધોવાઇ ગયેલ હતી અને જે ખેડૂતોએ પ્રથમ વાવણીના શ્રીગણેશ કાર્ય હતા તે પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો તો ક્યાંક સાથે સાથે જમીનો પણ ધોવાઇ ગયેલ હતી. ઉપલેટા તાલુકાના નિલાખા ગામે આ નિષ્ફળ ગયેલા પાકનું પ્રથમ સર્વે પૂરું થયું ને થોડા દિવસ બાદ ફરી અનરાધાર અને ધોધમાર વરસાદ પડતા ખેડૂતો એ જે ફરી એક વાર વાવણી કરી અને જે પાક વાવેલ હતો તે પણ ફરી એક વાર નિષ્ફળ ગયો છે

અને વધુ કે વખત ખેડૂતોને ફટકો સહન કરવો પડી રહ્યો છે. જગતના તાત એવા ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પ્રથમ નુકશાનનું વળતર હજુ મળેલ નથી ત્યાં બીજી વખત વાવેલ મોલનું પણ ધોવાણ અને નુકશાન થઇ ગયું છે જેથી ખેડૂતો પર આર્થીક બોજો વધી રહ્યો છે. ખેડૂતોએ જે આર્થીક ઉછી ઉધાર કરી અને ફરી વાવેલ પાક પાક નિષ્ફળ જતા આર્થીક બોજામાં આવી ગયા છે. જેથી ખેડૂતો મંગ કરી રહ્યા છે કે સરકાર જગતનાતાત એવા ખેડૂતોની વહેલીથી વહેલી મદદ કરે તેવી લાગણી અને માંગણી કરી રહ્યા છે.

ઉપલેટા:-આશીષ લાલકિયા દ્વારા

error: Content is protected !!